અમરેલી

સાવરકુંડલા કબીર ટેકરી ખાતે વિનામૂલ્યે નેત્રનિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો. 

આજ રોજ તારીખ ૨૨-૨-૨૪ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટ્રસ્ટ  સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી. માં ૧૦૩ દર્દીઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન માટે ૩૦ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું દિપપ્રાગટય કબિર ટેકરીના મહંતશ્રી નારાયણ સાહેબ તથા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જગદીશભાઈ જેઠવા, જિતેનભાઇ હેલૈયા, ચીમનભાઈ નાથજી તથા  પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેશભાઈ ભીલ તથા કબીર ટેકરીના સ્વયંમસેવકો વગેરેએ સેવા આપી હતી.  આ કેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે છેલ્લા ૧૩ વર્ષથી યોજાય છે

Related Posts