સાવરકુંડલા શહેરમા કે. કે. મહેતા સિવિલ હોસ્પિટલમા આવેલી છે અને તેમાં કોવીડ૧૯ની દર્દીઓની સારવાર ચાલુ છે. પણ આ સિવિલ હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટરન હોવાથી ઘણા દર્દીઓના જીવ બચાવી શકાતા નથી જેથી કે. કે. મહેતા હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટર આપવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકાર પાસે માંગણી કરી અને જો સરકાર આ માંગણી સ્વીકારે તો પ્રાઇવેટ સંસ્થા પાસેથી આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટર લાવવવાની ધારાસભ્ય પ્રતાપ દુધાત ની તૈયારી છે. આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટર આપવામાં આવે તો કોવીડ૧૯ ના દર્દી ને લાભ મળી શકે અને આવા દર્દીઓના જીવ બચાવી શકાય અને સાવરકુંડલા અમરેલી જીલ્લા નો મધ્ય ભાગ હોવાના કારણે ખાંભા, રાજુલા, ચલાલા તાલુકાના દર્દીઓ પણ આ હોસ્પિટલમા સારવાર માટે આવે છે પણ હાલમાં આ હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટર ન હોવાના કારણે ઘણા દર્દી ના જીવ બચાવી શકાતા નથી જેથી કે.કે. મહેતા સાવરકુંડલા હોસ્પિટલમા આઈ.સી.યુ. સાથે વેન્ટીલેટર આપવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા નીતિનભાઈ પટેલ પાસે માંગણી કરી.
સાવરકુંડલા કે.કે.મહેતા સિવિલ હોસ્પિટલમા આ.સી.યુ. સાથે વેન્ટીલેટર આપવા માટે નીતિનભાઈ પટેલ પાસે માંગણી કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments