સાવરકુંડલા ખાતે પવિત્ર રમઝાન માસના એક માસના રોજા કરીને અલ્લાહપાકની બંદગી બાદ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઇદ ઉલ ફિત્રની ઉજવણી હર્ષોલ્લાસ સાથે દેશભરમાં થઈ ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગતરોજ સવારે ૮-૩૦ કલાકે જુમ્મા મસ્જિદ ખાતેથી અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપૂ કાદરીની આગેવાનીમાં સવારી ઇદગાહ સુધી પહોંચીને જુમ્મા મસ્જિદના પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબે ઇદ ઉલ ફિત્રની નમાજ અદા કરાવેલ હતી તેમજ એકમાસના રમઝાન માસના રોજા રાખનારા મુસ્લિમ બાળકોને સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના વરદહસ્તે ઈનામ આપીને નવાજવામાં આવ્યા હતા તથા મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવીને ગળે લગાવીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી આ વખતે ઈદગાહ પર નવનિયુક્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ વાસુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઇકબાલભાઈ ગોરી સહિતના જમાતના સદસ્યોએ સુંદર વ્યવસ્થાઓ ઊભી કરેલ હતી જે ખરેખર સરાહનીય હતી.
સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.

Recent Comments