અમરેલી

સાવરકુંડલા ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ યોજાયો

૨૮/૧૨/૨૦૨૩ ને ગુરૂવારે સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ-સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પ  ની અંદર ઓ પી ડી માં ૧૨૧ દર્દીઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન  માટે ૫૧ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટય કબીર ટેકરી નાં મહંત નારાયણ સાહેબ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી  સીટી માંથી લાયન્સ રૂજુલભાઈ ગોંડલીયા તથા  સાહસ ઉપાધ્યાય, સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જગદીશભાઈ જેઠવા, જીતેનભાઈ હેલૈયા, ચીમનભાઈ નાથજી તથા  પટેલ બેટરી વાળા વિઠ્ઠલભાઈ, સુદર્શન નેત્રાલય ના કર્મચારી નિલેશભાઈ ભીલ તથા કબીર ટેકરી ના સ્વયંસેવકો વગેરેએ સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ચોથા ગુરૂવારેછેલ્લા ૧૩ વર્ષ થી યોજાય છે.

Related Posts