સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની તથા માતૃશક્તિ દ્વારા દુર્ગા પૂજન, શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન

શક્તિ આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે તારીખ ૧૫/૧૦/૨૦૨૩, રવિવારે સાંજે ૪ થી ૬ કલાકે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ , દુર્ગા વાહિની તથા માતૃશક્તિ સાવરકુંડલા દ્વારા દુર્ગા પૂજન , શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માં નાની બાલિકા ઓ ને નવદુર્ગા ની વેશભૂષા ધારણ કરાવી દુર્ગા પૂજા કરવામાં આવશે તેમજ બહેનો દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રથમ , દ્વિતીય , તૃતીય ક્રમે આવનાર ને આશીર્વાદ સ્વરૂપ ઇનામો આપવામાં આવશે દરેક દીકરી જે નવદુર્ગા સ્વરૂપ ધારણ કરનાર છે તેને પણ ઇનામો આપવામાં આવશે.
Recent Comments