અમરેલી

સાવરકુંડલા ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે મહારક્તદાન કેમ્પ, પુસ્તક વિમોચન કાર્યક્રમ અને સમુહ ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો

સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા  ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.  આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, સોનોગ્રાફી, દવાઓ, ઓપરેશનો તેમજ અન્ય તમામ સેવાઓ સાથે દર્દીઓ અને તેમની સાથે આવનાર તેમના સગાં-સબંધીઓને પણ તદ્દન વિનામૂલ્યે ભોજન-પ્રસાદ આપવામાં આવે છે. ગુરૂપુર્ણિમા મહોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાઇઓ-બહેનો-બાળકો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવેલ અને સાથોસાથ ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ.

આમ સાવરકુંડલા ખાતે નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની  ઉજવણી આસ્થાભેર સંપન્ન થયેલ…

Related Posts