અમરેલી

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલી આંબરડી માધ્યમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા નવા આચાર્યની નિમણૂક કરાઈ

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલી આંબરડી માધ્યમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા નવા આચાર્યની નિમણૂક કરાઈ.. સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી આંબરડીનાં પત્રકાર સુભાષ સોલંકીએ પણ આ નિમણૂંકને આવકારી મુકેશભાઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. 

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ખાલી પડેલ આચાર્યની જગ્યાઓ ભરવા મૌખિક/લેખિત  ઇન્ટરવ્યૂ પ્રક્રિયા  અમરેલી જિલ્લામાં પૂરી કરાઈ હતી.જેમાં સા.કુંડલાના આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તરીકે શાળાના મદદનીશ શિક્ષક મુકેશભાઈ માલવિયાની અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના ટ્રસ્ટી શ્રી દિપકભાઈ માલાણીને નિમણુક પત્ર અપાયો હતો 

Related Posts