અમરેલી

સાવરકુંડલા તાલુકાના આદસંગ અને ઘનશ્યામનગર ના લોકો હજુ ડંકી ના પાણી ધમી ને લોકો પાણી પીવે છે

આ ગામને નર્મદાના નીર આપવા માટે 15 વર્ષ પહેલા નર્મદાના સંપ બનાવી દીધો છે સરકાર માત્ર વાતો જ કરે છે કે છેવાડાના ગામ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે પરંતુ સાવરકુંડલા તાલુકાનો આદસંગ અને ઘનશ્યામ નગર બંને ગામોમાં હજુ સુધી નર્મદાના નીર નથી પહોંચ્યા આ બન્ને ગામો સાવરકુંડલા ખાંભા અને રાજુલા તાલુકા ની વચ્ચે આવેલા ગામ છે ગામ ના મહિલાઓ અને પુરુષોને પાણી માટે સવારે પાણી ભરવા ડંકી એ જવું પડે છે.. ઘનશ્યામ નગર ની વસ્તી આશરે ૧૦૦૦ જેટલી છે પંચાયત દ્વારા અનેક વાર પાણીના બોર કર્યા છે પાણી ના તળ નીચે જતા બોરમાં પાણી થતા નથી આ ગામ ની ડંકી ઓ એ ના છૂટકે ગામ લોકો ને પાણી ભરવા જવું પડે છ આશરે ૨૫૦૦ થી ૩૦૦૦ ની વસ્તી ધરાવતું આદસંગ ગામ આ ગામ માં સરકારે નર્મદાના પાણી પહેલા પાળ તો બાંધી દીધી પંદર વર્ષ પહેલા પણ આ ગામના લોકો એ નર્મદાનું પાણી જોયું નથી પંદર વર્ષ પહેલા આ ગામ માં નર્મદા ના પાણી માટે સંપ તો બનાવી દિધો છે પાણી આવે એ પહેલા તો આ સંપ પણ જજરિત થયો છે…પાણીના તળો નીચા ગયા છે પંચાયત દ્વાર દસ જેટલા પાણી ના બોર કરવામાં આવ્યા છે બોરમાં પાણી ન થવા થી ગામ ની મીટ નર્મદા ના પાણી ઉપર છે..મજૂરીકામ કરતા લોકો સવારે વહેલા મહિલાઓ ની સાથે પાણી ભરવા જવું પડે છે..હવે જોવાનું એ રહ્યું આ બંને ગામો ને નર્મદાના નીર ક્યારે પહોંચશે.

Related Posts