અમરેલી

સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે પૂજ્યપાદ સદગુરૂ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ પધાર્યા

              સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે સદગુરુ પરમ પૂજ્ય સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ના અનન્ય ચરણો પાસક સદ શિષ્ય પ.પૂ. સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ હાલ સાવરકુંડલા તાલુકાના કરજાળા મુકામે પધારેલ છે.  કરજાળા ગામ ખાતે અનેક ભાવિકો દિવ્ય અમૃતવાણી તેમજ સત્સંગનો લાભ લઈ રહ્યા છે તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દરરોજ સત્સંગનો લાભ લેવા ઉપસ્થિત થઈ રહ્યા છે. સાવરકુંડલા ના કરજાળા મુકામે લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિર ના તબીબ દીપકભાઈ શેઠ એ પ.પૂ.સદગુરુ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ની ખૂબ જ  શ્રધ્ધા અને સમર્પણ ભાવ સાથે આરતી કરી હતી. દરરોજ સત્સંગ સમારોહ માં ધૂન, ભજન, કીર્તન, ભગવાન શ્રીરામ નું જીવન અને રામાયણ ના પાઠ, મંત્રોચ્ચાર, સંધ્યા પૂજન, શિવ પૂજન, મહા આરતી, મહા પ્રસાદ વગેરે ધાર્મિક પ્રસંગો ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

Related Posts