અમરેલી

સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક શાળાનાં બાળકોમાં ગણિત વિષય પ્રત્યે રુચિ ઉજાગર કરવાના હેતુથી તાલુકાના ગણિત વિજ્ઞાન વિષયના પ્રાથમિક શિક્ષકો દ્વારા ધોરણ ૬ પ્રશ્ર્ન સંપુટની રચના કરવામાં આવી. 

સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક શાળાના બાળકોમાં ગણિત વિષય પ્રત્યે રસ અને રુચિ ઉજાગર કરવાના હેતુથી તાલુકાના ગણિત વિજ્ઞાન વિષયના પ્રાથમિક શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા અધ્યયન નિષ્પત્તિ અને અભ્યાસક્રમને અનુરૂપ *ધોરણ 6 ગણિત પ્રશ્ન સંપુટ* ની રચના કરી પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું. આ પુસ્તકનું સંકલન અને નિર્માણનું કામ  બીઆરસી ભવન સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ પુસ્તકનું વિમોચન તારીખ ૨૨ સપ્ટેમ્બર શુક્રવારના રોજ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા સાવરકુંડલા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા કરી બાળકોને સમર્પિત કરવામાં આવ્યું. આ તકે બીઆરસી દર્શનાબેન દ્વારા સાહિત્ય નિર્માણ કરનાર શિક્ષક હિંમતભાઈ હડિયા ,શિવમભાઈ પંડ્યા,હિતેશભાઈ જોષી,યોગેશભાઈ રાવળ, નિમાવત હિરેનભાઈ,બ્લોચ સમાબેનને અભિનંદન આપેલ.

ReplyReply allForward

Related Posts