અમરેલી

સાવરકુંડલા તાલુકાના મત વિસ્તાર ના ગામો મા ગ્રામજનોની શુભેચ્છા મુલાકાત લઈને તેમના પ્રશ્નો સાંભળીને વાચા આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

આજરોજ સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તાર સાવરકુંડલા તાલુકા ગામડાઓ નો પ્રવાસ કરી ને લોકો સુધી પહોચીને વ્યક્તિગત લોકોના ઘરે જઈને લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળી ને તેમને વાચા આપવા માટે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી રહી છે. જેમાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, સતત આજે ચોથા દિવસે પ્રવાસ કરી રહ્યા છે જેમાં ગીનીયા –બગોયા, ખોડિયાના, ઘનશ્યામનગર, આદસંગ, થોરડી, જાબાળ ગામો ની મુલાકાત લેવામાં આવી હતી અને આ ગામો માંથી ગ્રામ જનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ અને લોકો દ્વારા ધારાસભ્યશ્રી ની કામગીરી ને  બિરદાવીને આવકારી હતી, અને લોકો મા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના ઘર આગણે તેમના પ્રશ્નો સાભળીને તેમનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી લોકો મા એક જોશ અને ઉમગ વધી રહ્યો છે કે કામ કરાવવા લોકોને ઓફિસો મા કચેરીઓમાં જવું પડે છે ત્યારે ખુદ ધારાસભ્ય પોતાના પ્રવાસ દરમ્યાન લોકો ને ઉપયોગી  પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે.

Related Posts