સાવરકુંડલા તાલુકા ના શેલણા –ફીફાદ –લુવારા રોડ જીલ્લા પંચાયત અમરેલી હસ્તક નાં રોડ અંગેની ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા એક વર્ષ પહેલા સરકાર શ્રી પાસેથી જોબ નબર મેળવી અને વર્ક ઓર્ડર પણ લાવી આપેલ હોવા છતાં તંત્ર દ્વારા આ રોડ ની કામગીરી શરુ નહી કરતા શ્રી પુર્ણેશ ભાઈ મોદી શ્રી, માર્ગ અને મકાન વિભાગ મંત્રી ને પત્ર પાઠવીને દિન-૧૦ આ કામગીરી શરુ નહી કરવામાં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારતા પ્રતાપ દુધાત…

મારા મતવિસ્તાર અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકાના શેલણા –ફીફાદ -લુવારા ૯.૮૦ કી.મી. નો અમરેલી જીલ્લા પંચાયત હસ્તક નો અતિ મહત્વ નો રોડ જે રોડ બે જીલ્લા ને જોડતો રોડ હોય આ રોડ પર મોટા પ્રમાણ માં ટ્રાફિક રહેતું હોય તેમજ રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકો પસાર થતા હોય છે. જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. આ રોડ અંગે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર શ્રી ને રજૂઆત અને દરખાસ્ત કરાવીને સરકાર તરફથી તા.૩૧/૧૨/૨૦૨૦ આ શેલણા –ફીફાદ -લુવારા ૯.૮૦ કી.મી રૂ. બે કરોડ થી જોબ નંબર મેળવી લાવેલ હોય અને તેમના વર્ક ઓર્ડર તેમજ વહીવટી મંજુરી છેલ્લા એક વર્ષ થી મળેલ હોય, તેમ છતાં જેતે એજન્સી તેમજ સબંધિત વિભાગ તરફથી આ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી નથી. આ રોડ લોકોની સુખાકારી અને લોકોને પડતી મુશ્કેલીઓ પડતા ધારાસભ્ય શ્રી દ્વારા સરકાર શ્રી પાસે ઉગ્ર રજૂઆતો થી છેલ્લા એકાદ વર્ષથી મંજુર કરાવેલ હોય પરંતુ તંત્ર દ્વારા આ રોડ ની કામગીરી નહી કરવામાં આવતા આમ જનતા અને પ્રજાકીય કામો ને લઈને સરકાર શ્રીને આ રોડ ની કામગીરી દિન- ૧૦ શરૂ કરવામાં નહી આવેતો અમારે નાં છુટકે આ ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે શેલણા ચોકડી પર ધરણા કરવાનીચીમકી ઉચ્ચારેલ છે .આમ. પોતાના મત વિસ્તાર નાં આમ જનતા કે આરોગ્ય, સુખાકારી, રોડ રસ્તા ના પ્રાણ પ્રશ્ને હમેશા અગ્રતા આપીને સરકાર શ્રીને રજૂઆત કરીને કામો મંજુર કરવાતા હોય છે.
Recent Comments