સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના જાગૃત યુવાન ચિરાગ હિરપરા દ્વારા સાવરકુંડલા, લીલીયા તાલુકાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને પત્ર પાઠવી સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામથી કુંકાવાવ ગામ, હઠીલાવાવ અને ફાચરીયા ગામના બંને નોન પ્લાન રોડ નવા મંજૂર કરાવવા પત્ર પાઠવી માંગ કરી હતી. સાવરકુંડલા તાલુકાનું પિયાવા ગામથી કુકાવાવ ગામ અને હઠીલાવાવ જવા માટે માત્ર છ કિલોમીટરનો અંતર હોય તેમજ અને ફાચરીયા ગામ જવા માટે માત્ર ત્રણ કિલોમીટરનું અંતર હોય આથી પિયાવા ગામ સાવરકુંડલાથી ૧૭ કિલોમીટરના અંતરે જેસર, પાલીતાણા, ગારીયાધાર જતા સ્ટેટ હાઈવે પર આવેલ છે
પિયાવાથી સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાંથી લીલીયા અને ગારીયાધાર તાલુકાના ગામડાઓમાં જવા માટે આ બંને રસ્તાઓ મહત્વના બને તેમ છે અને અમરેલી અને ભાવનગર જીલ્લાને જોડતો માર્ગ બની શકે છે એ પણ માત્ર ત્રણ અને છ બે નાના કિલોમીટરના માર્ગ બનાવવાથી હાલ આ રસ્તાઓ ગાડા માર્ગ હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને વંડા ગામેથી ફરીને જવું પડે છે જે પણ ૧૭ કિલોમીટર ફરવા જવું પડે છે તેમજ કુંકાવાવ ગામે ૭૦૦ વર્ષ જૂની એક હઠીલા રાજાની પ્રાચીન નગરી હતી. ત્યાં એક ડુંગર ઉપર વારાહી માતાનું મંદિર અને તે સમયની વાવ પણ આવેલી છે સાવરકુંડલા તાલુકામાં આવેલ એક પર્યટન સ્થળ પણ છે જે હાલ હઠીલાવાવ તરીકે ઓળખાય છે તેમજ આ રસ્તાઓ પર પિયાવા, ફાચરીયા, ખાલપર તેમજ વંડા ગામોના ખેડૂતોના મોટા પ્રમાણમાં ખેતરો પણ આવેલા હોય, તો આ રસ્તાઓ પાકા થતાં ખેડૂતોને પણ ચોમાસામાં આવું જવું સરળ બનશે આ બંને રસ્તાઓનો સર્વે કરાવી વહેલી તકે સરકારશ્રીમાંથી મંજૂર કરાવી આપો તેવી ધારાસભ્યને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી
Recent Comments