અમરેલી

સાવરકુંડલા તાલુકામાં વરસાદ ખેચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ.

સાવરકુંડલા તાલુકાના ગાધકડા લીખાળા મેરીયાણા ખડસલી છાપરી ડેડકડી જેવા અનેકવિધ ગામોમાં વરસાદ વેચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે જેમાં મગફળી કપાસ તલ જેવા પાકો જ્યારે મગફળીમાં સુયા બેસવા ટાણે વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળેલ છે જ્યારે કપાસ પણ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન થતા કપાસની હાઈટ એક ફૂટ થી દોઢ ફૂટ જેવી થઈ છે તેમાં પણ ફાલ બેસવા ટાણે સખત તાપ અને વરસાદ બિલકુલ નહીં તેથી આ તમામ પાક નિષ્ફળ ગયેલ છે માંડવી તેમજ કપાસ તેમજ તલ જે પાકો હાલ સુકાવા લાગ્યા છે ખેડૂતોને હાલત બદતર થઈ જવા પામેલ છે સરકારશ્રી દ્વારા આ પાકોનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Related Posts