છે સેવા એ જ સાધના એવો સંદેશ અહીં ગુંજતો થયો, વ્યવસ્થા હવે થોડી લચીલી પણ લાગે છે. સાવ અચાનક નજરે દીઠું, દ્રશ્ય સેવા કેરું બેઠું આમ તો સેવાસેતુ જેવા લોકો માટે લોકોની સમસ્યાના નિરાકરણ માટે આપણી સરકાર દ્વારા અવારનવાર યોજાતાં જોવા મળે છે. પરંતુ કોઈ સંસ્થા જ્યારે લોકોનાં પ્રશ્ર્નોને વાચા આપવા માટે પ્રતિબદ્ધ હોય તો તંત્ર પણ ઘણું સુગમ બને છે. માત્ર ફોટો સેશન માટે આ દ્રશ્ય નથી. નથી કોઈ અહીં કેમેરા શૂટનો સમય પણ અલપઝલપ કરતાં કોઈ ત્રીજા નેત્ર દ્વારા કેદ થયેલી આ તસવીર છે. આવી રીતે તંત્ર થોડું લચીલાપણું દાખવે તો ખરાં અર્થમાં લોકોની સેવા થઈ શકે છે. વાત જાણે એમ છે કે સાવરકુંડલા શહેરમાં દરબારગઢમાં એસબીઆઈ બ્રાંચ આવેલી છે. આ બેંકમાં પ્રવેશવા માટે અનેક પગથિયા છે. લગભગ પંદરથી વધારે પગથિયા ચડ્યા બાદ એસબીઆઈની આ બ્રાંચમાં દાખલ થઈ શકાય એટલે કે વયો વૃધ્ધ અને બિમાર અશક્ત કે દિવ્યાંગ માટે તો આ ચડાણ જ એટલું કપરું છે કે તેને ચડતાં સ્વસ્થ માનવી માટે પણ થોડું મુશ્કેલ તો ખરું. આ સંદર્ભે જ સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલા વતી હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધીએ આ બેંકમાં સિનિયર સિટીઝન માટે અગ્રતા આપવામાં આવશે તેવું દિશાનિર્દેશન બોર્ડ લગાવવા વિનંતી કરી હતી અને આવાં ખાતેદારોને આ કપરાં પગથિયા ન ચડી શકે તો તેને તળેટીમાંથી તેને જરૂરિયાતને લગતી સેવાઓ પૂરી પાડવી એવી વિનંતી સાવરકુંડલા દરબારગઢમાં એસબીઆઈ બ્રાંચના મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી. અને આમ આ વિગત અને વિચાર સાથે બેંક દ્વારા સહમતિ દર્શાવી હતી અને એનું અમલીકરણ પણ ખૂબ જ ચીવટ અને ચોક્કસાઈથી કરવામાં આવેલ. આ દ્રશ્યમાં સાવરકુંડલા દરબારગઢ એસબીઆઈ ખાતે વયોવૃદ્ધને નીચે તળેટીમાંથી જ આ બેંકના કર્મચારી ગણ સેવા આપતાં જોવા મળેલ છે.આમ અંતમાં સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાની મુહીમ માણસાઈનાં દિવા દીપ સે દીપ જલે બસ આ વિષય અંતર્ગત હાલ એસબીઆઈનાં કર્મચારીઓ આવી રીતે સિનિયર સિટીઝનનો અગત ખ્યાલ લેતાં જોવા મળે છે. આમ સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલા પણ આ બેંકનાં તમામ કર્મચારીઓનો જાહેર આભાર માને છે
સાવરકુંડલા દરબારગઢમાં એસબીઆઈ બ્રાંચમાં હવે સિનિયર સિટીઝનને અગ્રતા આપવામાં આવે છે. લોકોએ પણ આ બાબતે નોંધ લઈ બેંકની કામગીરીની પ્રશંસા કરતાં જોવા મળે છે.

Recent Comments