અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર મેળવાયો કાબુ

સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમની બાજુમાં આવેલ બ્રિજના ખૂણામાં દેવીપુજક ભરતભાઈના ઘરની વાડમાં ભયંકર આગ લાગી હતી આ આગ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાડવામાં આવી હતી સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ થતા પ્રમુખ  દ્વારા ફાયર ફાઈટરના હેડ જયરાજભાઈ ખુમાણ ને જાણ કરી તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે સાત મિનિટમાં પહોંચી ગયા હતા જેમાં વોટર બ્રાઉઝર ડ્રાઇવર રવિરાજભાઈ જેબલીયા તેમજ ફાયરમેન અજીતભાઈ ખુમાણ દ્વારા ભયંકર આગ પર ઝડપથી કાબુ મેળવાયો હતો

Related Posts