અમરેલી

સાવરકુંડલા ના જેસર રોડ ખાતે સંગીતમય શ્રીરામ ચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ રામકથાનો કોવિડ-19 નિયમો મુજબ પ્રારંભ કરવામાં આવ્યો

.-
સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે સાંઈનાથ મંદિર ગીતાજંલી સોસાયટી ના આંગણે સંગીતમય શ્રીરામ ચરિત્ર માનસ નવાહ જ્ઞાનયજ્ઞ રામકથા તારીખ.-૦૪/૦૪ થી ૧૨/૦૪ ને અમાસ સુધી યોજાશે આ કથા શ્રવણ નો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી રહેશે જેમાં વ્યાસપીઠ પર સુપ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રીશ્રી ભાર્ગવદાદા ભોરીગડાંવાળા બિરાજી કથા નું રસપાન કરાવી રહ્યા છે આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીરામ જન્મોત્સવ, કુંવરબાઈ નું મામેરૂ, શ્રીરામ વિવાહ, શબરીકા આશ્રમ, હનુમાનજી પ્રાગટય, સેતુબંધ રામેશ્વર સ્થાપના, રાજ્યાભિષેક વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ છે આ કથા ને સફળ બનાવવા માટે ગીતાજંલી સોસાયટી ના ભાઈઓ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે આ કથા દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનીટાઈઝર નો ઉપયોગ કરી કોવિડ-19 મી ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવી રહ્યું છે.

Related Posts