સાવરકુંડલા ના હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમ આવેલ છે. આ આશ્રમ ભક્તિરામ બાપુ ની નિશ્રામાં ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં બનેલી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે દુઃખદ ઘટનાને લઇ ઠેર-ઠેર લોકો શ્રધ્ધાંજલિ પાઠવી રહ્યાં છે ત્યારે માનવમંદિર આશ્રમની ૬૦ જેટલી મનોરોગી બહેનોએ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માને શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ અર્પણ કરી તમામ માટે સામૂહિક પ્રાર્થના કરાઇ હતી. ભજન કીર્તન સાથે મૃતકોની આત્મા માટે મનોરોગી બહેનોએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી. ભક્તિ બાપુ દ્વારા મૃતકોના પરિજનો પર આવી પડેલી આ વિપદા સહન કરવાની શક્તિ આપે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
સાવરકુંડલા ના માનવ મંદિર આશ્રમ ની મનોરોગી બહેનોએ રાજકોટ ગેમ ઝોનઅગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી

Recent Comments