અમરેલી

સાવરકુંડલા પરશુરામ સેના દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરીત પરશુરામ સેના દ્વારા  સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં ભૂદેવો વિદ્યાર્થી હાજર રહ્યા  તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પરશુરામ સેના દ્વારા મોમેન્ટો પ્રમાણપત્ર તેમજ અન્ય ગિફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્ર્મના મુખ્ય અધ્યક્ષ ગીજુદાદા ભરાડ તેમજ સાવરકુંડલા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ અને ગુજરાત ખાદીના મહામંત્રી પરાગભાઇ ત્રિવેદી તેમજ સમાજના હોદેદારો અને દાતાશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્ર્મ યોજાયો આ કાર્યક્ર્મને સફળ બનાવામાં પરશુરામ સેનાની ટીમ અને પરશુરામ સેના પ્રમુખ અમિત પંડયાએ ખુબ  જ જહેમત ઉઠાવી હતી .અને કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો.એમ સતીષભાઈ પાંડેની એક યાદીમાં જણાવાયુ હતું. 

Follow Me:

Related Posts