અમરેલી

સાવરકુંડલા પોલીસ સ્ટેશન નાં છેલ્લા પચ્ચીસ વર્ષ થી ખૂન તથા ધાડના ગુનામાં નાસતા-ફરતા અને કાગળ ઉપર મૃત જાહેર થયેલ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં નાસતા-ફરતા આરોપી નો સતત વધારો થઇ રહેલ હોય જે અનુસંધાને ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય તેના ભાગ રૂપે ગૌતમ પરમાર  (પોલીસ મહાનિરીક્ષક) ભાવનગર વિભાગ-ભાવનગર નાઓએ  રેન્જના જીલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા-ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એસ.જી.દેસાઇ ની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., ફ.ગુ.ર.નં.૧૦૬/૧૯૯૯, આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૯૬, ૪૬૦, ૧૨૦-બી, મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીને ગઇ કાલ તા.૧૯/૦૭/૨૦૨૩ ના રોજ અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં બાબરીયાધાર ગામેથી પકડી પાડી, આગળની ઘટિત કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :-     
જીવાભાઇ ગગજીભાઇ પરમાર, ઉ.વ.આ. ૬૦, (દે.પુ) રહે. નાસિક મહારાષ્ટ્ર,
મૂળ રહે. બાબરીયાધાર, તા. રાજુલા, જિ. અમરેલી.

ગુનાની હકિકત :-    

મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન આજથી પચ્ચીસેક વર્ષ પહેલા સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આ ગુનામાં ફરિયાદી ભરતભાઈ બાબુભાઈ દેસાઈ ના પિતાશ્રીનું ખૂન સાથે ધાડ કરી માર મારી મોત  નિપજાવી રૂા.૭૧૨૦૦/- નો મુદ્દામાલ જે-તે વખતે સહ આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હતો અને મજકુર આરોપી આ ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવી નાસિક-મહારાષ્ટ્રમાં ભિક્ષાવૃતિ કરી રખડતુ-ભટકતુ જીવન વિતાવતો હતો. અને આ ગુનાના કામે પકડાયેલા આરોપીના ભાઇએ નામ. કોર્ટમાં ખોટુ સોગંદનામુ રજુ કરી મજકુર આરોપી ને મૃત જાહેર કરેલ અંગેની ચોંકાવનારી હકીકત મળી આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ, તથા એસ.ઓ.જી. ટીમનાં અના. એ.એસ.આઇ. નાજભાઇ પોપટ, રફીકભાઇ રાઠોડ, હેડ કોન્સ.,ગોબરભાઇ લાપા, સુરેશભાઇ મેર, જીતેન્દ્રભાઇ મહેતા તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ તથા જીજ્ઞેશભાઇ પોપટાણી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts