સાવરકુંડલા નદીકાંઠે આવેલ શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે સવંત ૨૦૭૯ ના મહાવદ અમાસે સોમવાર ના રોજ પુજ્યપાદ શ્રી ૧૦૮ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી (પૂ.રાજુબાવાશ્રી)જનાના સાથે તેમજ શ્રી અનુગ્રહલાલજી મહોદય શ્રી (શ્રી લાલનબાવા શ્રી) આપશ્રીના સાનિધ્ય માં ‘ફુલફાગ રસિયા મનોરથ ‘નું ભવ્ય આયોજન કરાયું જેમાં સવારે ૧૦ કલાકે બ્રહ્મ સબંધ, સવારે ૧૦:૩૦ કલાકે પલના નંદ મહોત્સવ,ફુલફાગ રસિયા મનોરથ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદ સહિતના અલૌકિક ઉત્સવનું આયોજન મુખ્ય મનોરથી સ્વ.સુરેશભાઈ પ્રાગજીભાઈ વિઠલાણી, પન્નાબેન સુરેશભાઇ વિઠલાણી, નકુલ સુરેશભાઇ વિઠલાણી સહિત સહ મનોરથીના સહયોગથી કરાયું હતું સમગ્ર આયોજનને વિજયભાઈ વસાણી, રાજુભાઇ શીંગાળા,મુકુંદભાઈ ચંદારાણા,સહિત સમગ્ર ટીમના સદસ્યોએ સફળ બનાવેલ.
સાવરકુંડલા મહાપ્રભુજી બેઠકજી ખાતે ફુલફાગ હોરી કે રસિયા મનોરથનું આયોજન કરાયું

Recent Comments