અમરેલી

સાવરકુંડલા માં કબીર ટેકરી ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

તારીખ 19/03/2023 ને રવિવારે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પની અંદર ઓ.પી.ડી. માં 103 દદીઁઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન 25 દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પનું દિપ પ્રાગટય લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી માંથી લાયન્સ પટેલભાઈ તથા ભગવાનભાઈ કાબરીયા, સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી, જેઠવા ભાઈ, મેહુલભાઈ ત્રિવેદી તથા સુદર્શન નેત્રાલય ના કર્મચારી કીર્તિભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, કબીર ટેકરી ના સ્વયંસેવકો વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ત્રીજા રવિવારે છેલ્લા 10 વર્ષ થી યોજાય છે.

Related Posts