અમરેલી

સાવરકુંડલા માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં મુંબઈ ના દાતા મનુભાઈ ગાંધીએ હોસ્પિટલના સ્ટાફને ૪૦ સાઇકલો અર્પણ

સાવરકુંડલા માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં મુંબઈ ના દાતા મનુભાઈ ગાંધીએ હોસ્પિટલના સ્ટાફને ૪૦ સાઇકલો અર્પણ કરી એક ઉદાહરનિય કામ કર્યું છે.. આજે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે જે હોસ્પિટલનો સ્ટાફ છે તેમની પાસે વાહન નથી અને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે તેવા કર્મચારીઓ ૪૦ ભાઈ-બહેનોને મુંબઈ ના દાતા મનુભાઈ ગાંધી તરફથી ૪૦ સાઈકલો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતા મનુભાઈ ગાંધીના પ્રતિનિધિ તરીકે પ્રમોદભાઈ સંઘવીએ ના હસ્તે તેમજ આ સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ જોશી ચંદ્રિકાબેન ઘેલાણી ડોક્ટર મગનભાઈ ડોક્ટર દિપકભાઈ શેઠ પાંડવ રાજુભાઈ બોરીસાગર ના વરદ હસ્તે  ભાઈ-બહેનોને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રિયંકાબેન ખુમાણ રેખાબેન બગડા અને સુશીલાબેન સરવૈયા સહિતના હોસ્પિટલના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા

Related Posts