સાવરકુંડલા શહેરમાં આગામી તારીખ ૨૮/૯/૨૦૨૩ ના રોજ હિન્દુસમાજ માટે આસ્થાનું પ્રતિક મનાતા શ્રી ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત મુહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ આવતો હોય સાવરકુંડલા શહેર માં બંને સમાજ ની શોભાયાત્રા અને ઝુલુસ જાહેર માર્ગો પર ફરવાના હોય જેના ભાગ રૂપે શહેર માં સુખ શાંતિ અને સલામતી ના હેતુસર અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ અને ડી.વાય એસ.પી હરેશ વોરા ની સૂચનાથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ. એમ. સોની દ્વારા સાવરકુંડલા શહેરના જાહેર માર્ગો ઉપર પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી અને શાંતિ અને ભાઈચારા થી તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. સાથો સાથ જો કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ કરાશે તો તેને સારી રીતે કાયદાનું ભાન કરાવવા પણ તૈયારી દર્શાવી હતી.
સાવરકુંડલા માં હિન્દુ-મુસ્લિમ તહેવારો ને અનુલક્ષીને સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ.



















Recent Comments