અમરેલી

સાવરકુંડલા માનવ મંદિરેથી 114 મી મનોરોગી બહેન સાજી થતા તેમના પરિવાર સાથે થયું મિલન પરિવારજનો તેડી ગયા.

સાવરકુંડલા માનવ મંદિરે નાગેશ્રી પોલીસ દ્વારા એક મનોરોગી બહેનને મૂકી ગયેલા જેનું નામ શાંતાબેન પરમાર હોવાનું જણાવેલ હતું જેની ઉંમર આશરે 52 વર્ષ છે.ગઈકાલે માનવ મંદિરના સંત ભક્તિબાપુને ફોન આવ્યો કે અમારા પરિવારની મહિલા આપના આશ્રમમાં છે ત્યારે તે ફોટો જોઈને ભક્તિ બાપુએ કહ્યું કે હા અહીંયા છે અને સલામત છે. આજે સવારે 10:00 કલાકે કોડીનાર તાલુકાના છાંછર ગામથી તેમનો પરિવાર આ બહેનને લેવા આવ્યો આ પરિવારે તે બહેન ગુમ થયા છે તે ફરિયાદ કોડીનાર પોલીસમાં લખાવેલી જ્યારે આજે આધાર પુરાવા રજૂ કરી સાવરકુંડલા અને નાગેશ્રી પોલીસ ની ઉપસ્થિતિમાં આ બહેનને સોંપી દેવામાં આવી. માનવ મંદિર આશ્રમ ભક્તિ બાપુનો એક જ ઉદ્દેશ છે કે વધુમાં વધુ અહીં આવનાર સાજા થાય અને પરિવારને મળે સમાજમાંથી વિખુટા પડેલા પુનઃ સમાજમાં સ્થાપિત થાય એ હેતુથી માનવ મંદિર શરૂ કરવામાં આવેલ જેને આજે 11 વર્ષ થયા છે. નિરાધાર રખડતા ભટકતા અને પોલીસ દ્વારા જ અહીંયા મનોરોગી બહેનોને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે. ભોજન રહેવાનું અને બે ટાઈમની દવા વિનામૂલ્યે આપવામાં આવે છે.. અંતમાં ભક્તિ બાપુએ ગુજરાત પોલીસની આટલી સુંદર કામગીરીને બિરદાવી હતી, કારણ કે રોડે રખડતા ભટકતા મનોરોગી બહેનોને સલામત રીતે લાવી અને માનવ મંદિરમાં દાખલ કરવામાં આવે છે અને સાજા થયા બાદ તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં તેઓ મહત્વની કામગીરી કરે છે.

Related Posts