અમરેલી

સાવરકુંડલા માનવ મંદિરે અમરેલી ના દીપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વંયમ સેવકો ની દિવા જેવી સેવા

સાવરકુંડલા માનવ મંદિરે અમરેલી ની સંસ્થા દીપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની દિવા જેવી સેવા સાવરકુંડલા થી ૫ કિલોમીટર હાથસણી રોડ પર આવેલા મનોરોગી આશ્રમ એટલે માનવ મંદિર…માનવ મંદિરમાં માં વિનામૂલ્યે મનોરોગી નિરાધાર મહિલાઓને સેવા કરવામાં આવે છે હાલમાં અત્યારે ૫૮ નિરાધાર મહિલાઓ ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે જેને અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી ની દેખરેખ નીચે કામ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં આશ્રમમાંથી ૯૯ જેટલી મનોરોગી બહેનો પુનર્જીવન પ્રાપ્ત કરી સમાજમાં પ્રસ્થાપિત થઈ છે આ આશ્રમમાં નિયમિત રીતે મહિનામાં એક દિવસ સેવકો સેવા કરવા આવે તેવા હેતુસર માનવ મંદિર ના સેવકો એ દર મહિને એક વખત આખો દિવસ રોકાઈ ને આશ્રમમાં સેવા કરવી તેવો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે અમરેલીનું દીપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ભાઈ બહેનોએ આજે માનવ મંદિરે આવી વિવિધ પ્રકારની સેવા યજ્ઞ અભિયાનનો પ્રારંભ કર્યો જેમાં ખાસ કરીને મનોરોગી બહેનોના રહેવાના રૂમ.. આશ્રમની સફાઇ અને માનવ મંદિરની મુલાકાતે આવતા મહેમાનોને ચા પાણી આપી યથાશક્તિ સેવા યજ્ઞ નું યોગદાન આપી લોકોને એક અનોખી પ્રેરણા આપી છે

Related Posts