હોય માનવ મંદિરના સંત પૂ. ભક્તિરામબાપુ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને આ મીશનમાં સહયોગી વૈજ્ઞાનિકો સમેત સમગ્ર રાષ્ટ્રને પાઠવ્યા અભિનંદન.સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ચંદ્રયાન ત્રણની સફળતા માટે મારૂતિ યજ્ઞ કરાયો સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે જ્યાં ભક્તિરામ બાપુની નિશ્રામાં પર જેટલી મનોરોગી બહેનો વિના મૂલ્યે પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને વળેલો આ માનવ મંદિર આશ્રમે આજે ભક્તિરામબાપુના અધ્યક્ષ પદે માનવ મંદિર પરિવાર દ્વારા મારૂતિ યજ્ઞ કરવામાં આવ્યો ચંદ્રયાન ત્રણને સફળતા મળે અને દેશના વડાપ્રધાનને વિશ્વમાં યશ કીર્તિ મળે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી. મારૂતિ યજ્ઞ એટલે હનુમાનજી એ વાયુના દેવ છે અને સમગ્ર બ્રહ્માંડમાં પવનનું વર્ચસ્વ છે એટલે ચંદ્રયાન -૩ ને સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં મદદ મળે તેવા હેતુસર આ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ભક્તિરામબાપુએ સંપૂર્ણપણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતા. જેના પરિપાક રૂપે ચંદ્રયાન-૩ નું સફળ લેન્ડીંગ થતા પૂ. ભક્તિરામબાપુ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને વૈજ્ઞાનિકો સહિત સમગ્ર રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા હતા.
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ચંદ્રયાન ત્રણના ચંદ્ર પર લેન્ડીંગ થવાની સફળતા માટે કરવામાં આવેલ મારૂતિ યજ્ઞ જાણે સફળ થયો.

Recent Comments