અમરેલી

સાવરકુંડલા માનવ મંદિર ૯૯ ની મનોરોગી મહિલા સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ

સાવરકુંડલા માનવ મંદિર ૯૯  ની મનોરોગી મહિલા સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છેસાવરકુંડલા થી ૫ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આવેલું છે આ માનવ  મંદિરમાં રખડતાં ભટકતાં નિરાધાર મહિલાઓને વિનામૂલ્યે ભક્તિ બાપુની નિશ્રામાં અને અમરેલીના ખ્યાતનામ ડોક્ટર વિવેક જોષીની દેખરેખ નીચે સારવાર આપવામાં આવે છે. સાવરકુંડલા માનવ મંદિર તારીખ ૯ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ દયાબેન લક્ષ્મણ ભાઈ પાનસુરીયા નામની મહિલાને દાખલ કરવામાં આવી હતી જે આજે સાજી થતા અમદાવાદથી તેનો પરિવાર તેમના મોટા બેન અને ભાણેજ મનોજભાઈ આવી અને તેમને તેડી ગયા માનવ મંદિરમાં હાલમાં 58 જેટલી મનોરોગ મહિલાઓ વિવિધ પ્રદેશની વિવિધ જ્ઞાતિની ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે અત્યાર સુધી ની અંદર આ 99 મી મનોરોગી મહિલા સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે જેનો ભક્તિ બાપુને આનંદ છે જે હેતુસર માનવ મંદિર સેવા ચાલુ કરવામાં આવી હતી તે હેતુ ખૂબ જ સારા પ્રમાણમાં સિદ્ધ થઈ રહ્યો છે અનેક દાતાઓ માનવ મંદિર ના શુભેચ્છકો અને સેવકોના સહકારથી આ સફળતા મળી રહી છે

Related Posts