અમરેલી

સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પર યોજાયો સત્કાર- વિદાય સમારંભ

લગભગ સો વર્ષથી કાર્યરત સાવરકુંડલા રેલ્વે સ્ટેશનએ સાવરકુંડલાનુ ગૌરવ છે. સાવરકુંડલા રેલ્વે સ્ટેશન સાથે શહેરનો ભવ્ય ઈતિહાસ જોડાયેલો છે.
સાવરકુંડલા રેલ્વે સ્ટેશનના બે હોનાહાર પોલિસ અધિકારીઓના સન્માનમાં એક નાનકડો સમારંભ યોજાઈ ગયો. સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પર વર્ષો સુધી નિષ્ઠાપુર્વક ડ્યુટી બજાવી તાજેતરમાં નિવૃત થયેલા ઉસ્માનભાઈ સોલંકીનો વિદાય સમારંભ અને સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પર પોલિસ અધિકારી તરીકે હોદ્દો સંભાળનાર સંજયભાઈ વાળાનો આવકાર સમરાંભ.

આ કાર્યક્રમમાં ઉપસ્થીત અગ્રણીઓ, એ સંજયભાઈ વાળાનુ સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પર નિમણુંક થતા હર્ષ વ્યક્ત કર્યો હતો તો નિવૃત થનાર ઉસ્માનભાઈને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં,નિવૃત રેલ્વે અધિકારી હરજીભાઈ વિંઝુડા, કોંગ્રેસ અગ્રણી હસુભાઈ બગડા,  કોંગ્રેસ અગ્રણી હરીભાઈ સગર, રેલ્વે અધિક્ષક લખડાસાહેબ, ટિકટી માસ્ટર ગૌરાંગભાઈ વેગડા, ટિકીટ માસ્ટર હરેશભાઈ ટકટકિયા,  નિવૃત રેલ્વે સુરક્ષા કર્મી ઈશ્વરભાઈ, ટીભાઈ મલેક, કેતનભાઈ એલઆઈસીવાળા, કોંગ્રેસ અગ્રણી અહમદભાઈ ફ્રુટવાળા,  મહેન્દ્ર સોરઠિયા, ચંદ્ર્કાંત ભરખડા, રેલ્વે ઈલેક્ટ્રીક વિભાગના હેડ રાજુભાઈ બગડા, વકિલશ્રી અશ્વીનભાઈ વિંઝુંડા, વીટીવીના  પત્રકાર દિલીપ જીરુકા, સંદેશ ન્યુઝના સુર્યકાંત ચૌહાણ, એબીપીના હરેશ ખુમાણ, ઝી ટીવીના કેતન બગડા, ગુજરાત લાઈવ ચેનલ હેડ જીજ્ઞેશ ગળથિયા વગેરે ખાસ ઉપસ્થીત રહ્યાં હતા.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ટીવી પત્રકાર મહેન્દ્ર બગડા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Related Posts