અમરેલી

સાવરકુંડલા લાયન્સ કલબ દ્વારા ધોરણ દસ  અને બારના  વિદ્યાર્થી આલમ તથા વાલીવર્ગ માટે સફળતાનો શંખનાદ સેમિનાર આવતીકાલે યોજાશે.

સાવરકુંડલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મહુવા રોડ ખાતે આવતીકાલે તારીખ ૨૪-૨ને શનિવારના રોજ સાંજે ૪થી૬ દરમિયાન વિનામૂલ્યે સફળતાનો શંખનાદ મોટીવેનલ સેમિનાર યોજાશે આ સેમીનારમાં ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોમાંથી રાહત મેળવવા અંગે પ્રેરક પ્રવચન આપવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને વાંચવા માટે ટાઈમ ટેબલ કેમ બનાવવું? તમામ વિષયોને પૂરતો ન્યાય કઈ રીતે આપી શકાય? રસ અને ધ્યાન કઈ રીતે વધારવા? પરીક્ષાની ચિંતા કઈ રીતે દૂર કરવી? વગેરે  બાબતો પર સચોટ માર્ગદર્શન આપવામાં આવશે તેમ કરશનભાઈ ડોબરિયા તેમજ કમલ શેલારની એક સંયુક્ત યાદી જણાવવામાં આવેલ. આ મોટીવેશનલ સેમિનારનો સાવરકુંડલા તેમજ તાલુકાના વિદ્યાર્થી આલમ તેમજ વાલીવર્ગ દ્વારા બહોળી સંખ્યામાં લાભ લેવા લાયન્સ કલબ દ્વારા હાર્દિક અનુરોધ પણ કરવામાં આવેલ છે.

Related Posts