અમરેલી

સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ધારાસભ્ય પ્રતાપ દુધાત ભાન ભુલ્યા


ગત તારીખ 7/5/2022ને શનિવારના રોજ સાવરકુંડલા ખાતે શહેર કોંગ્રેસ સાવરકુંડલા દ્વારા આયોજિત સંગઠન સંમેલન બોલાવવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત ભાન ભુલી ગયા હતા અને કોંગ્રેસની હલકી માનસિકતા પ્રગટ કરી હતી. સાવરકુંડલા વિધાનસભા વિસ્તાર જ નહીં પરંતુ અમરેલી જિલ્લાના લાખો લોકોના હૃદયસમ્રાટ અને ગરીબોના બેલી અડધી રાતનો હોંકારો એવા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સાહેબ વિશે મન ફાવે તેમ બોલી સાસંદશ્રીનું ઘોર અપમાન કરેલ છે તે બદલ સુરેશ પાનસુરીયા પ્રતાપ દુધાત ને કહેવા માગે છે કે આપે આપના ભાષણની અંદર કેનો 108 સાંસદ તેઓ શબ્દનો ઉપયોગ કરેલ છે એ તો આ સાવરકુંડલા લીલીયા ની જનતા ને પૂછો તે જવાબ આપશે કે 108 સાંસદ કેના માટે એમનું નામ પડેલ છે સાંસદ શ્રી હર હંમેશ એક ફોન ઉપર કામો કરે છે અને હર હંમેશ સુખ-દુઃખના પ્રસંગે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર લોકોની વચ્ચે રહે છે અને આપતો માત્ર ચૂંટણી સમયે જ સુરતથી આગમન કરી જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો.એવું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આવા અવિવેકપૂર્વક ના શબ્દો ન વાપરવા ધારાસભ્ય પ્રતાપ દુધાત ને સુરેશ પાનસુરીયા દ્વારા ટકોર કરી. પ્રતાપ દુધાતના આ ભાષણને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે.Attachments area

Related Posts