સાવરકુંડલામાં રોગી કલ્યાણ સમિતિની મળેલ બેઠકમાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને રોગી કલ્યાણ સમિતિના સદસ્ય રાજુભાઇ શીંગાળાએ કે.કે.હોસ્પિટલમાં ડો.સ્ટાફની નિમણૂક કરવા બાબતે રજુઆત કરી જે રજુઆતને લોક લાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરતાંની સાથે જ થોડા જ દિવસોમાં ગાયનેક ડો.કિરણબેન આહીર, (સ્ત્રી રોગ નિષ્ણાંત)અને એનેસ્થેસ્ટિકડૉ.સંધ્યા પટેલ જતીન રાજ્યગુરુ(બાળ રોગ નિષ્ણાંત) જેવા સ્પેશ્યલિસ્ટ ડો ની સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં નિમણુંક કરવામાં આવી,અને હાલમાં ઉપલબ્ધ સ્પેશ્યાલીસ્ટ
૧.ગાયનેકોલોજીસ્ટ
૨ પીડિયાટ્રીશયન
૩. ડરમેટોલોજીસ્ટ
૪ સાઇકિયાટ્રીક
૫ રેડિયોલોજીસ્ટ
૬. પેથોલોજીસ્ટ
૭.એમ.ડી.એસ. -(દંત સર્જન વર્ગ – ૧)
૮. એનેસ્થેસ્ટિકની સેવાઓ અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલામાં ઉપલબ્ધ છે તેમજ સાવરકુંડલાની ૮૪ ગામની જનતાને આ સરકારી હોસ્પિટલમાં તમામ ડો.નો લાભ મળે એ માટે તાત્કાલિક ધોરણે ડો. ની નિમણુંક કરાવતા રોગીકલ્યાણ સમિતિના સદસ્ય અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઇ શીંગાળા તેમજ સમગ્ર સ્ટાફે ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાળાનો આભાર વ્યક્ત કર્યો
Recent Comments