ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા જ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ અને વિદ્યાર્થીઓને સારા અને સફળ ભવિષ્ય માટે આગળ ક્યું ક્ષેત્ર પસંદ કરવું? એનું સચોટ માર્ગદર્શન માટે લોંહાણા મહાજન ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા સર્વ જ્ઞાતિ માટે નિશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર ૨૧ એપ્રિલ ૨૦૨૪ રવિવાર બપોરે પ.૩૦ કલાકે લોહાણા મહાજન વાડી નદી કાંઠે,સાવરકુંડલા ખાતે યોજાશે.આજની બદલાતી દુનિયામાં શિક્ષણનું મહત્વ અર્ને બાળકોમાં શૈક્ષણિક અભિરુચિ કઈ રીતે કેળવવો અને મોબાઈલ તેમજ ટી.વી. અને વિવિધ ટેક્નોલોજી બાળકો માટે વરદાન છે કે અભિશાપ ? બાળકોની મનોવૈજ્ઞાનિક પધ્ધતિથી કેવી રીતે સંભાળ લેવી ? વૈદિક મેથ્સ, યાદશક્તિ કઈ રીતે વધારવી ? તેવા અનેક સાંપ્રત વિષમોને આવરી લેતાં રસપ્રદ સેમિનાર દ્વારા આપણાં વિસ્તારમાં રાજકોટનાં તજજ્ઞો દ્વારા વાલીઓ તેમજ બાળકોને નવી બદલાતી શૈક્ષણિક પધ્ધતિને સમજવા તેમજ માર્ગદર્શન મેળવવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ સેમિનારમાં ધો. ૧૦ અને ૧૨ પછીના કારકિર્દીના દરેક રસ્તાઓ વિશેની સચોટ માહિતી તેમજ માર્ગદર્શન રાજકોટના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.
સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટ આયોજિત સર્વ જ્ઞાતિ માટે નિશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાશે

Recent Comments