સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં ઝીઝુડા ગેઈટ કોળીવાળા નાકાથી શિવાજીનગર આનંદ આશ્રમ સુધીના માર્ગનું ખાતમુર્હત સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને વોર્ડ નંબર ત્રણના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા થોડા સમયથી આ માર્ગમાં ખાડા ખડિયા અને જર્જરિત હલતમાં હોવાથી સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની સૂચના થી પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને પાલિકા સતાઘીશો દ્વારા ઝીઝુડા ગેઈટ કોળીવાળા નાકાથી શિવાજીનગર આનંદ આશ્રમ સુધીનો નવો માર્ગ મંજુર કરવામાં આવતા વોર્ડ નંબર ત્રણના રહીશો ભરતભાઈ વિછિયા દરબાર, નીલેશપરી ગોસ્વામી નીલાબાપુ, જીતુભાઇ ખાચર, અલ્પેશ કારિયા, હર્ષદભાઈ મિસ્ત્રી, બાબુભાઈ કળથિયા સગર વગેરે વોર્ડ નંબર ત્રણના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને નવો માર્ગ નું ખાતમુર્હત કરવામાં આવતા ખુશી વ્યકત કરી હતી.
સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણના ઝીઝૂડા ગેઈટ કોળીવાળા થી શિવાજીનગર આનંદ આશ્રમ સુધીના રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું.

Recent Comments