હિન્દી સાહિત્યના ખૂબ જ મોટા ગજાના સાહિત્યકારશ્રીમતી ક્રિષ્ના અગ્નિહોત્રી સાથે સાવરકુંડલા શહેરના કે. કે. હાઈસ્કૂલના નિવૃત આચાર્ય પંકજભાઈ વ્યાસના ભાણેજ ધરમકુમાય હર્ષદભાઈ મહેતાએ રૂબરૂ મુલાકાત લઈને તેમનો ઈન્ટરવ્યું લીધો હતો જેમાં લેખિકાના નીડર, વિદ્રોહી, તથા લાગણીશીલ સ્વભાવનો પરિચય થયો હતો. લેખિકાએ હિન્દી સાહિત્ય માટે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. જે પૈકી તેમની કૃતિઓ ‘મેં અપરાધી હૂઁ, ‘નીલોફર’, ‘ટપરેવાલે’, જેવી સુપ્રસિધ્ધ નવલકથાઓ ,અપને અપને કુરુક્ષેત્ર ,પંછી પિંજરે કે, જે સીયારામ, ગલિયારે,જેવી વાર્તાસંગ્રહ તથા ‘લગતા નહી દિલ મેરા, “ઔર ઔર ઔરત’ આત્મકથા લખી છે. બાળસાહિત્ય પણ ઘણું લખ્યું છે. તેઓે સ્પષ્ટ વક્તા તથા નારીવાદી વિચાર ધરાવતા લેખિકા છે.હાલ પણ તેમના વિષય પર ભારતમાં ઘણાં બધાં સંશોધન થાય છે. શ્રી ધરમ મહેતાએ તેમના ઘરે (ઇન્દોર) જઈ તેમનો ઈન્ટરવ્યુ લીધો હતો અને સમાજમાં તથા હિન્દી સાહિત્યમાં તેમના યોગદાન વિશે ચર્ચા પણ કરી હતી.
સાવરકુંડલા શહેરની કે. કે હાઈસ્કૂલના નિવૃત આચાર્ય શ્રી પંકજભાઈ વ્યાસના ભાણેજ શ્રી ધરમકુમાર હર્ષદભાઈ મહેતાએ પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર શ્રીમતી ક્રિષ્ના અગ્નિહોત્રીનો ઈંદોર તેમના ઘરે જઈને ઈન્ટરવ્યુ લીધો.

Recent Comments