સાવરકુંડલા તાલુકાની નામાંકિત એવી શૈક્ષણિક સંસ્થા સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના આંગણે તા.૨૦-૪-૨૪ ને શનિવારના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સાવરકુંડલા તાલુકાની સરકારી શાળાના આચાર્યો, મુખ્ય વિષય શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલ તજજ્ઞો સાથે નવી શિક્ષણ નીતિને લઈને ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમન્ટો દ્વારા શાળાના ટ્રસ્ટીઓએ સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું.સમગ્ર કાર્યકમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષક ભાઈઓ _ બહેનો અને શાળા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવવી હતી.એમ મનીષભાઈ વિંઝુડા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ ના આંગણે સ્નેહમિલનનું આયોજન કરવામા આવ્યું.

Recent Comments