આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર એટલે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. આમ ગણીએ તો સમગ્ર શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને ભજવાનો શ્રેષ્ઠ મહિનો ગણાય. એમાં પણ સોમવાર અને એ પણ આ માસનો છેલ્લો સોમવાર એટલે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે આજ સવારથી જ શહેરના તમામ શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. પોતાની શ્રધ્ધા અને આસ્થા મુજબ આજે લોકો શિવજીને જલાભિષેક કરતાં જોવા મળ્યા. આમ જોવા જઈએ તો શિવજી એક લોટો જલથી પણ પ્રસન્ન થાય છે. શિવજીના દરબારમાં અમીર ગરીબના ભેદભાવ નથી હોતા…ભોલે કે દરબાર મેં સબ સમાન હૈ.
સાવરકુંડલા શહેરમાં આવેલાં શિવમંદિરોમાં આજે સોમવારે અનેરી શોભા સાથે શણગાર. શ્રાવણ માસના અંતિમ સોમવારે સાવરકુંડલાના શિવમંદિરોમાં ભારે આસ્થા અને ભક્તિભાવ સાથે શિવ ભક્તો શિવપૂજન અર્ચન કરતાં જોવા મળ્યા.

Recent Comments