ત્યાગ અને તપસ્યાનું મૂર્ત સ્વરૂપ, અખંડ માનવતાવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીની જયંતી નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે વોર્ડ નંબર. ૪ ના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય પતિશ્રી ભાવેશભાઈ કવા, ભુપતભાઈ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાંક, શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, ભાજપ અગ્રણી પ્રકાશભાઈ મૈસુરીયા, શહેર યુવા ભાજપ અગ્રણી શ્રી દેવર્ષિ બોરીસાગર સહિતના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સાદર વંદન કરવામાં આવ્યા હતા.આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંડિત દીનદયાળજીની ઉચ્ચ વિચારસરણી, ભારતીય સંસ્કૃતિ પરનું વિશ્લેષણ તેમજ આદર્શ સમાજની સમસ્યાઓ પરના તેમના પ્રવચનો આજે પણ ભારતીય રાજકારણમાં માર્ગદર્શન આપે છે.
સાવરકુંડલા શહેરમાં આવેલ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે વોર્ડ નંબર ચારના કાર્યકર્તાઓ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો..

Recent Comments