સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને આરોપણ કેમ્પ યોજાયો.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/IMG-20230824-WA0021-1140x620.jpg)
આજ રોજ તારીખ ૨૪/૮/૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી. ડી. માં ૧૦૧ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન માટે ૩૪ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપ પ્રાગટય કબિર ટેકરીનાં મહંત શ્રી નારાયણ સાહેબ લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી સાહસભાઈ ઉપાધ્યાય તથા રૂજુલભાઈ ઞોડલીયા વિમલભાઈ રામદેવપુત્રરા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જગદીશભાઈ જેઠવા જિતેનભાઇ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી તથા પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા કબીર ટેકરીના સ્વયંમ સેવકો વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે
Recent Comments