અમરેલી

સાવરકુંડલા શહેરમાં દિપોત્સવીની ભવ્ય ઉજવણી કરવા માટે  ચિરોડી મિશ્રિત વિવિધ રંગો પણ બજારમાં વેચાણ અર્થે જોવા મળે છે.

દિપોત્સવીના પાવન પર્વ એટલે ભારતીય સંસ્કૃતિનો હિંદુ ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર ગણાય. આમ ગણીએ તો શુભ પ્રસંગ ગણાય. લોકો આ તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવતાં હોય છે . આ તહેવારની સળંગ શૃંખલા હોય છે. . જેમાં અગિયારશ, વાક્ બારશ, ધન તેરશ, કાળી ચૌદશ, દિવાળી નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પંચમી સમાવિષ્ટ હોય છે.

આ પર્વ પર લોકો પોતાના ઘર, ઓફિસ અને દુકાન પાસે રંગબેરંગી ડીઝાઈન અને ભાતચિત્રો દર્શાવતી રંગોળી બનાવતાં હોય છે . આ રંગોળી બનાવવા માટે શહેરમાં વિવિધ રંગોમિશ્રિત ચીરોડી કલર પણ વેચાય છે. સાથે સાથે વિવિધ ડીઝાઈન દર્શાવતાં બિંબા પણ વેચાય રહ્યા છે.  આ ઉપરાંત ઘરોને શણગારવા માટે વિવિધ આઈટમો પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. આમ દિવાળીનાં તહેવારનું પર્વ એટલે હર્ષોલ્લાસ અને આનંદ ઉમંગનું પર્વ

Related Posts