સરકારશ્રી તરફથી ચાલતા “મીશન ફોર લાઈફ” અંતર્ગત રોજીંદા જીવનમાં નજીવા ફેરફારોને ઓળખવા તથા આપણા પર્યાવરણને અનુકૂળ થઈ એને બચાવવા જાહેર જનતાને સંદેશ આપવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જ ગીર પુર્વ વન વિભાગ – ધારી તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલીના પૂર્વ આયોજન માટે અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. આ રેલીમાં પર્યાવરણપ્રેમી ભાઈઓ – બહેનોને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા હાર્દિક નિમંત્રણ છે. આ રેલીનું પ્રસ્થાન તારીખ ૨૭-૫-૨૦૨૩ના સવારે ૮ કલાકે આંખની હોસ્પિટલ, હાથસણી રોડ સાવરકુંડલા ખાતે થશે.
સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવા રેલી પુર્વે મીટીંગ યોજાઈ

Recent Comments