અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળામાં ઉજાસભણી કાર્યક્રમ અંતર્ગત વિવિધ મોડયુઅલની સમજ સાથે પંડીત દીનદયાળ ઉપવનની મુલાકાત કરાવી તમામ બાળાઓને પાંવભાજી ખવરાવી. 

આજે તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ અને વાર શનિવાર આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા મણીભાઈ ચોકની તમામ બાળાઓએ ઉજાસ ભણી કાર્યક્રમ ૨૦૨૪ ના પ્રથમ સત્રના જે પાંચ મોડ્યુલ પ્રમાણે ૧ બાળકોમાં તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ જેના તજજ્ઞ રેખાબેન પરમાર મોડ્યુલ ૨ ભાવનાત્મક અને માનસિક આરોગ્ય જેના તજજ્ઞ સંદીપભાઈ હરીયાણી મોડ્યુલ ત્રણ આંતર વૈક્તિક સંબંધ જેના તજજ્ઞ નેહાબેન સોલંકી મોડ્યુલ ચાર મૂલ્યો અને નાગરિકતા જેના તજજ્ઞ હર્ષાબેન ચૌહાણ મોડ્યુલ પાંચ જેન્ડર સમાનતા જેના તજજ્ઞ આચાર્યશ્રી ભારતીબેન બી રાઠોડ આ પાંચે મોડ્યુલ અંતર્ગત શાળાના આચાર્યા ભારતીબેન તેમજ શાળાના શિક્ષક તજજ્ઞશ્રીઓએ પોતાના માનવ વેતનની રકમ ૫૦૦ લેખે ૨૫૦૦ તેમજ ઘટતી રકમ ઉમેરીને ધોરણ ૧ થી ૮ ની તમામ હાજર બાળકોને પંડિત દીનદયાળ ઉપવનમાં લઈ જઈ અને પાંવભાજી ખવડાવી હતી

તેમજ તેમને ફરીથી પાંચે મોડ્યુલના સારની સમજણ આપી હતી. રમત રમાડી હતી ગરબા રમાડ્યા હતા પ્રાર્થના ધૂન ભજન તેમજ સમૂહ વાયદ કરાવી હતી અંતે સરકારશ્રીના જે ઉજાસભણી  કાર્યક્રમ જે છે તેની સંપૂર્ણને રસમય રીતે ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી જેમાં શ્રી બ્રાન્ચ શાળા નંબર બે નો સમગ્ર સ્ટાફ તેમજ મધ્યાહન ભોજનના મંજુબેન મનીષાબેન  હાજર રહી .અને બાળાઓને ખૂબ જ વ્યવસ્થિત રીતે પાંવભાજી ખવડાવી હતી અને મધ્યાહન ભોજન પણ ત્યાં જ ઉપવનમાં કરાવ્યું હતું. ગીતાબેન, દિવ્યાબેન, રેખાબેન, અરુણાબેન,હર્ષાબેન, સ્નેહાબેન, અંકિતાબેન,ભૂમિકાબેન સંદીપ ભાઈ, રમજાનભાઈ, દરેક શિક્ષકશ્રી પોતાના સોંપાયેલ કાર્ય આચાર્યા  ભારતીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ સરસ રીતે કાર્યક્રમ દીપાવ્યો હતો, સૌ થી સુંદર વાત તો એ રહી કે તમામ મોટા ધોરણ ની દિકરીઓએ એન.એસ.એસ. પ્રવુતિ જેમ સ્વછતા, પીરસવું નાના બાળકોને રોડ પરથી પસાર કરાવવા સમગ્ર કાર્ય દિકરીઓએ સાંગોપાંગ પૂર્ણ કર્યું હતું

Related Posts