સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ. પૂ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં વિના મૂલ્યે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૬/૧૦/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૨૦ માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૧૬૬ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૨૩ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી. અને જે દર્દીઓને ચશ્મા અથવા દવાઓની જરૂર હતી એમને વિનામૂલ્યે સંસ્થા દ્વારા ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી. નેત્રકેમ્પના યજમાન શ્રી અક્ષર નિવાસી ચંપાબેન હરિભાઈ મારુંની પુણ્ય સ્મૃતિ નિમિત્ત રૂપ બનેલ
Recent Comments