આજરોજ સાવરકુંડલા શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ભાદરવા અમાવસ્યાના દિવસે શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતાં જોવા મળ્યા. પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા નાગનાથ સોસાયટીના શિવમંદિરમાં શિવ ભક્ત ખૂબ ભાવ અને આસ્થાભેર શિવજીનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથને હવે એક સારો વરસાદ વરસાવવા માટે પ્રાર્થના કરતાં જોવા મળે છે
સાવરકુંડલા શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને સાવરકુંડલા શહેર પર મેઘરાજાની કૃપા કરવા પ્રાર્થના કરવામાં આવી.

Recent Comments