અમરેલી

સાવરકુંડલા શહેરમાં સિંહ સંરક્ષણ માટે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી સાથે મહારેલી કાઢવામાં આવી હતી. 

એક તરફ ગુજરાતની શાન ગણાતા સિંહોના ટ્રેન અકસ્માતે અમરેલી જિલ્લામાં થઇ રહ્યા છે દર્દ ભર્યા મોત સિંહોના ટ્રેઈન અકસ્માતની ઘટનાઓથી ૩  સિંહો મોતને ભેટ્યા છે જ્યારે વાહન અક્સ્માત સહિતની લગભગ સિંહના મોતની ૩૦ ઘટનાઓથી સિંહ પ્રેમીઓમાં ભારે હતાશા જોવા મળી છે ને સિંહો બચાવવા વનવિભાગ અને સરકાર વધુ જાગૃત થાય તેવો સિંહ પ્રેમી સોહિલ શેખ, પ્રિયંક પાંધી અને ઇકબાલ ગોરીએ મત વ્યક્ત કર્યો હતો સિંહોના માલગાડી ટ્રેઈન હડફેટે અકસ્માતો નિવારવા વનવિભાગ દ્વારા ટ્રેનની સ્પીડ ધટાડવાની રજૂઆતો અંગે સરકાર જાગૃત થાય તોજ સિંહો ટ્રેઈન અકસ્માતથી બચી શકે છે પણ સિંહ જાગૃતિ અને વિશ્વ સિંહ દિવસ નિમિતે રેલીઓ દરમ્યાન વનવિભાગના અધિકારીએ સિંહોને બચાવવ માટે રેલ્વે ટ્રેક પર સ્ટાફનો વધારો કર્યો હોવાનો જવાબ આપ્યો હતો ત્યારે એક તરફ સિંહો ટ્રેઈન અકસ્માતમાં મોતને ભેટતા હોય ને બીજી તરફ વિશ્વ સિંહની ઉજવણી કરતા વનવિભાગ દ્વારા લીલીયાથી લઈને છેક પીપાવવા પોર્ટ સુધીના ૫૦  કિલોમીટરના રેલ્વે ટ્રેક પર સિંહના કોરિડોરને વધું સુરક્ષિત કરવામાં આવે તેવી પણ સિંહ પ્રેમીઓની હૈયા વરાળ અમરેલી જિલ્લામાથી ઉઠી રહી છે ને તે વાસ્તવિકતાઓ પર સરકાર વધુ સતેજ બને તે જરૂરી છે

 આ  વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શહેરની તમામ સ્કુલોનું ગેધરીંગ જે.વી. મોદી હાઈસ્કુલના મેદાનમાં કરવામાં આવ્યું. વન વિભાગ નોર્મલ રેન્જ, વિસ્તરણ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મહારેલીમાં વિધાર્થીઓ, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ, પત્રકાર મિત્રો તથા અન્યની ઉપસ્થિતમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં ગીરને લગતાં ચારણી સાહિત્યની રમઝટ બોલી હતી . સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે શાળાના બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવી, કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત વિધિથી કરવામાં આવેલ.  ઉપસ્થિત તમામ રેલી સ્વરૂપે સાવરકુંડલા શહેરમાં નીકળેલી આ મહારેલીનું પ્રસ્થાન સાવરકુંડલા – લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, સિંહપ્રેમી મંગળુભાઈ ખુમાણ, હાજી દિલાવરખાન પઠાણ, વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા આર.એફ.ઓ. ચાંદુ સાહેબ, વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ. બી.ડી. ચાંદુ સાહેબે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું. બાળકોએ સિંહની મુખાકૃતિ ધારણ કરીને મહારેલી કાઢી સાવરકુંડલા શહેરે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Related Posts