સાવરકુંડલા લોહાણા મહાજન વાડી ખાતે સદ્દભાવના ગ્રુપ દ્વારા આયોજીત અમરેલી રેડક્રોસ સોસાયટી તથા વેદ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી પ.પૂજ્ય ઉષામૈયા શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના ૮૬ માં પાવન જન્મદિન નિમિત્તે તા. ૩-૧-૨૪ને બુધવારના રોજ મહારક્તદાન કેમ્પ રાખવામાં આવેલ, સાથોસાથ આ રક્તદાન કેમ્પમાં અયોધ્યા રામમંદિરથી આવેલ પૂજીત અક્ષત કળશનું પૂજન રાખવામાં આવ્યું હતું, આ રક્તદાન કેમ્પમાં ૨૦૯ બોટલ રક્ત એકત્રિત થયું હતું. હાલ આ સંસ્થા દ્વારા ૧૦૩ મો રક્તદાન કેમ્પ યોજાયો હતો.
આમ પણ અમરેલીમાં રક્તની ખાસી જરૂરિયાત હોવાથી આ કેમ્પ જરૂરિયાતમંદ લોકો માટે જીવનદાયીની પણ બની રહે એવી અભ્યર્થના સાથે સંસ્થાને ૨૦૦ બોટલથી વધુ રક્તનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે બહોળા પ્રમાણમાં લોકો રક્તદાન કરે એવી સદ્દભાવના ગ્રુપ દ્વારા લોકોને નમ્ર વિનંતી કરવામાં આવી હતી, અને જેમાં સાવરકુંડલાના રક્તદાતાઓ એ ૨૦૯ બોટલ રક્ત આપ્યું હતું, આમ તો રક્તદાન એ જ સૌથી શ્રેષ્ઠ દાન છે રક્તદાન કરવાથી જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળવાથી ઘણી વખત માણસની અમૂલ્ય જિંદગી બચી જતી હોય છે
આમ પરોક્ષ રીતે આ રક્તદાન એક જીવનદાતા તરીકે પણ ગણી શકાય ખરું આ રક્તદાનના આયોજનમાં રૂદ્ર હાર્દિકભાઈ મશરૂ ( હ.વિરાટભાઈ) તથા સુરેશભાઈ અશોકભાઈ નારોલા ( વિજ્યાનગર વાળા ) તરફથી એક – એક આકર્ષક સરપ્રાઈઝ ગિફ્ટ દરેક રક્તદાતાઓને આપવામાં આવી હતી. આ ઉપરાંત સદ્દભાવના ગ્રુપ તરફથી પણ ગિફ્ટ આપવામાં આવી હતી. આમ રક્તદાન કેમ્પમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓને આ શુભપ્રસંગે ત્રણ ભેટ આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને બહેનોએ પણ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતુંઆ અવસરને સફળ અને ભવ્ય બનાવવા માટે પૂજ્ય મુક્તાનંદ બાપુ (ચાપરડા વાળા) તથા કબીર ટેકરીના મહંત નારાયણદાસ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments