અમરેલી

સાવરકુંડલા શહેરી વિસ્તારના કુંડલા વિભાગ આવેલ સ્મશાનમાં નાઈટ માં કર્મચારી મુકવા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાની રજુઆત

આઠ વાગ્યા પછી કોઇ મયત લૈય ને આવે તો ત્યા કોઇ કર્મચારી ન હોવાથી ઘણીબધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ કુંડલા વિભાગના સ્મશાનમાં સાંજના આઠ વાગ્યા સુધી નગરપાલિકા ના કર્મચારી હોય છે ત્યારબાદ ત્યાં મોડી રાત્રે કોઇ મયત લૈય ને આવે તો ત્યા કોઇ કર્મચારી ન હોવાથી ઘણીબધી મુશ્કેલી પડે છે એવી ફરિયાદો મળેલ હોય તેથી સત્વરે નાઇટ મા એક કર્મચારી ને મુકવા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર ને લેખીત રજુઆત નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા એ માંગણી સાથે ભલામણ કરેલ છે

Related Posts