અમરેલી

સાવરકુંડલા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા સંસદની અંદર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની આગેવાનીમાં સ્ત્રીઓ માટે 33% અનામતનું ઐતિહાસિક બીલ સંસદમાં રજુ થયુ.

આ ઐતિહાસિક ઘડીને વધાવવા માટે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમ ધનાબાપુના આશ્રમે, અમરેલી રોડ, મારૂતિનગર, સાવરકુંડલા ખાતે સાંજના ૬:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, મોરચાના તમામ હોદ્દેદારો નાના-મોટા સૌ કાર્યકર્તાઓ અને મહિલા આગેવાનોએ બહોળી સંખ્યામાં ધના બાપુના આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts