અમદાવાદ સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિરામબાપુને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી રત્ન એવોર્ડ અપાયો..એ આનંદની અલભ્ય ક્ષણોને માણવા માટે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ જોડાયા હતા.. ખરેખર સાવરકુંડલા શહેર માટે આ ગૌરવની વાત છે. આ એવોર્ડ પ્રાપ્ત થતાં પૂ. ભક્તિરામ બાપુને તેમના શુભેચ્છકો અને સેવકગણ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સાવરકુંડલા શહેર માટે ગૌરવની પળો. સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુને અમદાવાદ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી રત્ન એવોર્ડ એનાયત થયો.

Recent Comments