અમરેલી

સાવરકુંડલા સ્થિત કાણકીયા કોલેજ ખાતે તા.૪ માર્ચે રોજગાર-માર્ગદર્શન સેમિનાર યોજાશે

વિદેશ જવા ઇચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની વિગતો મળી રહે તેવા ઉમદા હેતુથી રાજકોટ ખાતેના ઓવરસીઝ ગાઈડન્સ સેલના વિષય નિષ્ણાંતો દ્વારા માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા. ૦૪ માર્ચ, ૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૯ વાગ્યે સાવરકુંડલા સ્થિત વી.ડી. કાણકીયા કોલેજ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાશે. વિદેશ જવા ઇચ્છુક યુવાઓને અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આ સેમિનારમાં ભાગ લેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. 

Related Posts